374 મો રવિવાર લોટેશ્વર તળાવ, આણંદ
સી ટુ સી પરિવારના સ્વચ્છતા અભિયાનનો 374 મો રવિવાર...તારીખ 17.9.23 આ દિવસે અમે બધાંએ આણંદના લોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને વ્યાયામ શાળા પાસેના તળાવની આસપાસ સ્વચ્છતા અને પ્લાસ્ટીક ઉપાડવાનું કામ કરીને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની 73મી જન્મ જયંતીની ઉજવણી એમના "મારું ભારત સ્વચ્છ ભારત" ના સ્વપ્ન અને સંકલ્પને પરિપૂર્ણ કરવાની નેમ સાથે આણંદ નગર પાલિકા સાથે ખભે ખભો મિલાવી સહભાગી બનીને લોટેશ્વર મહાદેવની પાછળના તળાવને પ્લાસ્ટિક મુક્ત કરવાના પ્રયાસ સાથે, અમારા આ કાર્ય થકી વડાપ્રધાનશ્રીને આ રવિવારની કાર્ય-સાધના અર્પણ કરી શુભકામનાઓ પાઠવી.